આ મનના તરંગોનો અંત નથી
આ વિચારોની સૃષ્ટિ શું અનંત નથી ?
વ્યક્તિઓ છે અલગ, અહીં બંધાયેલું છે
એનું વ્યક્તિત્વ, તેના છૂટકારાનો અંત નથી.
ક્યાં છે માનવીમાં સ્વાતંત્ર્યતા કેરી સૌરભ !
જ્યાં ક્ષણ ક્ષણ આવતી પરાધીનતાનો અંત નથી.
સબંધોના તાણાવાણા તો વીંટળાયેલા રહેવાના
એ સરંજામના ખુટવાનો કોઈ અંત નથી.
જીવે છે જીવવા ખાતર જીવન માનવી,
પણ ‘આવી’ તેની જિંદગીનો અંત નથી.
– From, http://rdgujarati.wordpress.com/2006/08/20/swati-bindu/
request you to change link side bar address to http://www.readgujarati.com insted of wordpress address.
Sure, Mrugeshbhai…