Posted by: Rachit | August 21, 2006

અંત નથી…

આ મનના તરંગોનો અંત નથી
આ વિચારોની સૃષ્ટિ શું અનંત નથી ?

વ્યક્તિઓ છે અલગ, અહીં બંધાયેલું છે
એનું વ્યક્તિત્વ, તેના છૂટકારાનો અંત નથી.

ક્યાં છે માનવીમાં સ્વાતંત્ર્યતા કેરી સૌરભ !
જ્યાં ક્ષણ ક્ષણ આવતી પરાધીનતાનો અંત નથી.

સબંધોના તાણાવાણા તો વીંટળાયેલા રહેવાના
એ સરંજામના ખુટવાનો કોઈ અંત નથી.

જીવે છે જીવવા ખાતર જીવન માનવી,
પણ ‘આવી’ તેની જિંદગીનો અંત નથી.

- From, http://rdgujarati.wordpress.com/2006/08/20/swati-bindu/

Responses

request you to change link side bar address to http://www.readgujarati.com insted of wordpress address.

Sure, Mrugeshbhai…

Leave a response

Your response:

Categories