Posted by: Rachit | September 15, 2006

Harindra Dave - 2

મારા એકાંતમાં
ધસી રહી છે એ સભાઓ
- જેમાં હું ગયો નથી.

મારા પુણ્યમાં પ્રબળ
રહ્યાં છે એ પાપો
- જે મેં કર્યાં નથી.

મારી ગતિમાં
જે વળાંકે વળ્યો ન હતો
એ તરફનો ઝોક છે.
નથી આચરી શક્યો
એવા અપરાધોના સિંદૂરથી રચાયો છે
મારી નિર્દોષતાનો અરીસો.

મને એકાંતપ્રિય માનતા મિત્રોને હવે કેમ સમજાવું
કે હું એકલવાયો છું !

- હરીન્દ્ર દવે

Copied from, http://layastaro.com/?p=476

Leave a response

Your response:

Categories